Aug 16, 2020

ભાગવત રહસ્ય -૩૬૨

એક વખતે શ્રીહરિ ગોપબાળકો સાથે જમુના કિનારે વનમાં વાછરડાં ચરાવવા આવ્યા.અને જમુના કિનારે તેઓ બાળમિત્રો સાથે જાતજાતની રમતો રમવા લાગ્યા.
આ ગોપ-બાળો પણ કેવા બડભાગી છે? તેમના ભાગ્ય નું કોણ વર્ણન કરી શકે ?જેનાં દર્શન યોગીઓ ને પણ દુર્લભ છે,તે પરબ્રહ્મ પરમાત્મા સાથે તેઓ રમી રહ્યા છે !!!!
શ્રીકૃષ્ણ બાળમિત્રો સાથે રમી રહ્યા હતા તેવે વખતે “અઘાસુર” નામનો રાક્ષસ મોટા અજગરનું રૂપ લઇને સર્વને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં આવી,મોઢું ફાડીને બેઠો છે.અઘાસુરનું મુખ પર્વતની ગુફા જેવું લાગે છે.જે જોઈને-

Aug 15, 2020

ભાગવત રહસ્ય -૩૬૧

જમુનાજીને કિનારે શ્રીકૃષ્ણ ગાયો ચરાવે છે અને ઉપનંદકાકા સુંદર વાંસળી વગાડે છે.લાલાએ તે વખતે ઉપનંદકાકાને કહ્યું-કે-કાકા મને તમારી વાંસળી આપો,મારે તમારા જેવી વાંસળી વગાડવી છે.ત્યારે ઉપનંદકાકા કહે છે-કે-બેટા મારા જેવી વાંસળી વગાડતાં તને આવડે નહિ,હું ચાલીસ વર્ષથી વાંસળી વગાડું છું.ચાલીસ વર્ષથી મહેનત કરું છું –ત્યારે આવી વાંસળી વગાડી શકું છું.મારી પાસે આ એક જ વાંસળી છે,પણ હું તને જંગલમાંથી વાંસ કાપીને નવી વાંસળી બનાવી આપીશ.