Aug 21, 2020

ભાગવત રહસ્ય -૩૬૭

બ્રહ્માજીએ વિચાર્યું કે-શ્રીકૃષ્ણ ઈશ્વર છે કે સાધારણ દેવ છે, તેની આજે પરીક્ષા કરું.
મારા જેવી સૃષ્ટિ બનાવતાં જો તેમને આવડે તો હું માનીશ કે –શ્રીકૃષ્ણ ઈશ્વર છે.
બાળકોનું ભોજન ચાલતું હતું તે વખતે બ્રહ્માજીએ બધાં વાછડાંઓને માયાથી ઉઠાવી બ્રહ્મલોકમાં લઇ ગયા છે.ગોપ બાળકોને ભોજન વખતે વાછડાં યાદ આવ્યાં,અને જુએ તો વાછડાં ના મળે.બાળકો કનૈયાને કહે છે કે –કનૈયા આપણાં વાછડાં દેખાતાં નથી.
એટલે શ્રીકૃષ્ણે કહ્યું કે તમે ભોજન કરો,હું વાછડાંને લઇ આવીશ.શ્રીકૃષ્ણ વાછડાંને શોધવા જાય છે.તે જ વખતે બ્રહ્માજી બધાં ગોપબાળકોને પણ માયાથી ઉઠાવી બ્રહ્મલોકમાં લઇ જાય છે.

Aug 20, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-4

ભાગવત રહસ્ય -૩૬૬

મધુમંગલ જુએ છે કે-બીજાં બાળકો સુંદર સુંદર મીઠાઈઓ લઇ આવ્યા છે.એટલે છાશ ની હાંડલી લાલાને આપતાં તેને સંકોચ થયો છે.તે વિચારે છે કે-ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જ લાલાને અપાય.આ છાશ આપું તે ઠીક નથી.આ છાશ કનૈયાને આપવા જેવી નથી.
કનૈયાને છાશ આપીશ તો આખો જન્મારો મારે છાશ પીવી પડશે.ખાટી છાશ પી ને કદાચ કનૈયો મારી મશ્કરી કરશે.આમ સમજી મધુમંગલ તે છાશ પી જવા લાગ્યો. તે જ વખતે શ્રીકૃષ્ણની નજર મધુમંગલ પર પડી.