Aug 28, 2020

ભાગવત રહસ્ય -૩૭૪

સોહામણી શરદ ઋતુ આવી છે.વૃંદાવનની શોભા અનેરી બની છે.મંદમંદ સુગંધી પવન વહેતો હતો.એવા વૃંદાવનમાં ગાયો અને ગોવાળ મિત્રો સાથે શ્રીકૃષ્ણ ગાયો ચરાવે છે.શ્રીકૃષ્ણ પોતાના હોઠ પર વાંસળી મૂકી અને મધુર સુરો વહાવે છે. ગોપીઓ આ વાંસળી સાંભળે છે.કનૈયાની વાંસળીનો નાદ સાંભળી ગોપીઓ જે વર્ણન કરે છે તેને વેણુગીત કહે છે.

Aug 27, 2020

ભાગવત રહસ્ય -૩૭૩

ભક્તિ માં વિલાસિતા-વિલાસીપણું આવે તો ભક્તિનો નાશ થાય છે.
ભક્તિમાર્ગના આચાર્યો વલ્લભાચાર્યજી,રામાનુજાચાર્યજી,ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં પરિપૂર્ણ વૈરાગ્ય હતો.તેથી જ તેઓ ભક્તિ કરી શક્યા.પૂર્ણ વૈરાગ્ય વગર ભક્તિ થઇ શકતી નથી.ભક્તિ એ તો જ્ઞાન વૈરાગ્યની જનની (મા) છે.
આ આચાર્યો એક એક વસ્ત્રભેર જગતમાં ફરતા.પણ પાછળથી ભક્તિમાર્ગમાં વિલાસી લોકો (કાલિય-નાગો) દાખલ થઇ ગયા ત્યારથી ભક્તિમાર્ગ બગડ્યો છે,બદનામ થયો છે,વગોવાયો છે.