ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૯૭
એવા વૃંદાવન માં ગાયો અને ગોવાળ મિત્રો સાથે
શ્રીકૃષ્ણ ગાયો ચરાવે છે.શ્રીકૃષ્ણ પોતાના હોઠ પર વાંસળી મૂકી અને મધુર
સુરો વહાવે છે. ગોપીઓ આ વાંસળી સાંભળે છે.
કનૈયાની વાંસળી નો નાદ સાંભળી ગોપીઓ જે વર્ણન કરે
છે તેને વેણુગીત કહે છે.
નામ અને નાદ ની ઉપાસના કરવાથી ચિત્ત ની શુદ્ધિ
થાય છે.
“નાદ” માં રૂપ ની (દેહની) વિસ્મૃતિ થાય છે.
વાંસળી એ નાદ બ્રહ્મ ની ઉપાસના છે.
નાદ બ્રહ્મ ની ઉપાસના વગર પ્રભુ ના દર્શન થતા નથી.
કનૈયા ની વાંસળી નો નાદ જ્યાં સુધી ના સંભળાય
ત્યાં સુધી કૃષ્ણ નાં દર્શન થતા નથી.
કનૈયા ની મધુર વાંસળી નો નાદ સાંભળતાં ગોપીઓ ને
સમાધિ લાગી છે.
મધુર નાદ માં મન નો લય કરવા આ વેણુગીત ની કથા છે.
વેણુનાદ ના આ નાદબ્રહ્મ ના આનંદ આગળ બધા આનંદો
ફિક્કા છે.
વેણુગીત માં પ્રત્યેક શ્લોક બોલનારી ગોપી ભિન્ન
ભિન્ન છે.
શ્રીધર સ્વામી એ લખ્યું છે કે-દરેક શ્લોક બોલનારી
ગોપી જુદીજુદી હોવા ના કારણે,એક બીજા
શ્લોક વચ્ચે સંભંધ નથી.
શ્રીકૃષ્ણ ગિરિરાજ માં છે.અને ત્યાં જે વાંસળી
વગાડે છે,તે ગોપીઓ પોતાના ઘરમાં બેઠાં બેઠાં સાંભળે છે.
કહેવાય છે કે –ભક્તિ વધે એટલે દૂરદર્શન અને
દૂરશ્રવણ ની શક્તિ આવે છે.
ગોપીઓ ની ભક્તિ વધી છે,એટલે તેમને આ બંને સિદ્ધિઓ
પ્રાપ્ત થઇ છે.
પહેલાં તો ગોપીઓ લાલા ના દર્શન કરવા નંદબાબા ના
મહેલ માં દોડી જતી હતી, પણ આજે હવે તેને
તેમ કરવાની જરૂરત રહી નથી. ગોપીઓ ને ઘરમાં થી જ
શ્રીકૃષ્ણ નાં દર્શન થાય છે.
લાલા ની વન ની લીલાઓ તે ઘરમાં બેઠે બેઠે જ જોઈ
શકે છે,લાલા ની વાંસળી નો નાદ સાંભળી શકે છે.
ઘરનું કામ કાજ પતાવી ને ગોપીઓ ટોળે વળી ને બેસે
છે અને આપસ માં લાલા ની વાતો કરે છે.
એક કહે છે-કે- અરે,સખી,જયારે શ્યામસુંદર
શ્રીકૃષ્ણ અને ગૌર સુંદર બલરામ ની જોડી ગોપબાળકો
સાથે ગાયો ને હાંકી ને વન માં લઇ જતા હોય કે-વ્રજ
માં પરત આવી રહ્યા હોય,અને જયારે,
શ્રીકૃષ્ણે હોઠ પર મુરલી ધારણ કરી હોય-પ્રેમભરી તિરછી
ચિતવન થી અમારી સામે તે જોઈ રહ્યા હોય
અને તે સમયે આપણે તેમના મુખ ની માધુરી નું પાન
કરતા હોઈએ,ત્યારે, આપણા જીવન માં શરીર ને જે બે આંખો મળી છે,તેની સફળતા સમજાય છે.
કૃષ્ણ-બલરામ ઉત્તમ નટો ના સમાન શોભે છે. આવા
શ્રીકૃષ્ણ ના જેઓએ દર્શન કર્યા છે,
તેઓ ને જ આંખ નું ફળ પ્રાપ્ત થયું છે. જીવન માં
જે આંખો મળી છે તે સફળ છે.
બીજી સખી કહે છે-કે-આ કનૈયો વાંસળી વગાડે છે તે
તો તું સાંભળ. વાંસળી ને સદાય કનૈયો પોતાની કેડમાં
ખોસી રાખે છે,જમવા બેસે કે સુએ ત્યારે પણ તે સાથે
જ હોય છે.તેથી વાંસળી એ શ્રીકૃષ્ણ ની પટરાણી છે.
વાંસળી ને લાલા નો નિત્ય સંયોગ પ્રાપ્ત થયો છે.
આ વાંસળીએ પૂર્વ જન્મ માં એવાં શું પુણ્ય કર્યા
હશે કે શ્રીકૃષ્ણ ના અધરામૃત નું નિત્ય પાન કરે છે.
એટલે ગોપીઓ વાંસળી ને પ્રશ્ન કરે છે કે-તેં એવું
તે શું પુણ્ય કર્યું કે ભગવાને તને અપનાવી છે?
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત