શ્રીકૃષ્ણે જેવી ગોવર્ધનનાથને પ્રાર્થના કરી –તે જ સમયે ગિરિરાજમાંથી ખળખળ કરતાં ગંગાજી પ્રગટ થયાં છે.(ગિરિરાજ ની પરિક્રમામાં માનસી ગંગા આવે છે) ગોપબાળકો બોલવા લાગ્યાં “કનૈયા આ તો નદી નીકળે છે.”
કનૈયો સમજાવે છે કે-આ સામાન્ય નદી નથી.આ તો ગંગાજી છે.
ગોવર્ધનનાથનો અભિષેક થયો છે.અભિષેકમાં ધારાનું ખંડન ના થવું જોઈએ.કનૈયો સમજાવે છે કે-આ સામાન્ય નદી નથી.આ તો ગંગાજી છે.
ખંડન થાય તો અભિષેકમાં ભંગ થાય છે.તેમ ઠાકોરજીની પૂજામાં પણ સાવધાન રહેવાનું છે,મનની ધારા ખંડિત ના થાય.મન ઠાકોરજીથી દૂર ના જાય.

