Sep 7, 2020

ભાગવત રહસ્ય -૩૮૪

શ્રીકૃષ્ણે જેવી ગોવર્ધનનાથને પ્રાર્થના કરી –તે જ સમયે ગિરિરાજમાંથી ખળખળ કરતાં ગંગાજી પ્રગટ થયાં છે.(ગિરિરાજ ની પરિક્રમામાં માનસી ગંગા આવે છે) ગોપબાળકો બોલવા લાગ્યાં “કનૈયા આ તો નદી નીકળે છે.” 
કનૈયો સમજાવે છે કે-આ સામાન્ય નદી નથી.આ તો ગંગાજી છે.
ગોવર્ધનનાથનો અભિષેક થયો છે.અભિષેકમાં ધારાનું ખંડન ના થવું જોઈએ.
ખંડન થાય તો અભિષેકમાં ભંગ થાય છે.તેમ ઠાકોરજીની પૂજામાં પણ સાવધાન રહેવાનું છે,મનની ધારા ખંડિત ના થાય.મન ઠાકોરજીથી દૂર ના જાય.

Sep 6, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-13-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-13

ભાગવત રહસ્ય -૩૮૩

કનૈયો કહે છે-કે-બાબા,ગોવર્ધનનાથ આપણા બધાનું રક્ષણ કરે છે.ગોવર્ધનનાથે મને ઘણી વાર દર્શન આપ્યા છે.નંદબાબા પૂછે છે કે-લાલા,તને ગોવર્ધનનાથનાં દર્શન ક્યારે થયેલાં? શ્રીકૃષ્ણે કહ્યું કે-બાબા, એક વખત વનમાં મને બે વાઘ મળ્યા.હું તો ગભરાયો.
ત્યારે ગિરિરાજમાંથી ચાર ભુજા વાળા દેવ બહાર આવ્યા,અને બંને વાઘને મારી નાંખ્યા.અને મારે માથે હાથ મૂકી કહ્યું કે-“તું ગભરાતો નહિ,હું તારું રક્ષણ કરું છું.” 
બાબા,મારો ગોવર્ધનનાથ જીવતી જાગતી જ્યોત છે,તેમની તમે પૂજા કરો,તે બધાને દર્શન આપશે.