વાસનારૂપી વસ્ત્ર જીવ અને પરમાત્માનું મિલન થતાં અટકાવે છે. ઇન્દ્રિયોમાંથી કામને કાઢવો કદાચ સહેલો હશે,પણ બુદ્ધિમાં રહેલા કામ ને કાઢવો મુશ્કેલ છે.પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય છે.પ્રકૃતિ (માયા) પર વિજય મેળવવો ઘણો મુશ્કેલ છે.યોગીના શરીરમાંથી કામ જાય છે,પણ બુદ્ધિમાંથી કામ જતો નથી.વૃદ્ધાવસ્થા માં શરીર શિથિલ થતાં ઇન્દ્રિયોમાંથી કામ જાય છે,પણ બુદ્ધિમાંથી કામ જતો નથી.ઋષિઓ પણ કામ થી હારેલા,તેથી તેઓ ગોપીઓ થઇ આવેલા અને તેઓએ નિશ્ચય કરેલો કે- આ કામભાવ શ્રીકૃષ્ણને અર્પણ કરી અને નિષ્કામ થઈશું..
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Sep 17, 2020
Sep 16, 2020
ભાગવત રહસ્ય -૩૯૩
સર્વનો આધાર એકમાત્ર ભગવાન જ હોવાથી,સર્વને ભગવાન તો મળેલા જ છે.
ભગવાનને ક્યાંય શોધવા જવાના નથી,પણ આ જે ભગવાન મળેલા છે તેનો અનુભવ કરવાનો છે.જે પ્રાપ્ય (મળેલું છે-જે ભગવાન મળેલા છે) તેની જ પ્રાપ્તિ કરવાની છે.
પ્રભુ નો સાક્ષાત્કાર થાય એટલે શું ભગવાન બહારથી આવે છે ? ના.....
આ જીવ માં જે ભગવાન છે (આત્મા) તેનો જ અનુભવ થાય છે.પણ જીવને અજ્ઞાનને લીધે,વાસનાને લીધે,અહમને લીધે તે પરમાત્માનો અનુભવ થતો નથી.
ભગવાનને ક્યાંય શોધવા જવાના નથી,પણ આ જે ભગવાન મળેલા છે તેનો અનુભવ કરવાનો છે.જે પ્રાપ્ય (મળેલું છે-જે ભગવાન મળેલા છે) તેની જ પ્રાપ્તિ કરવાની છે.
પ્રભુ નો સાક્ષાત્કાર થાય એટલે શું ભગવાન બહારથી આવે છે ? ના.....
આ જીવ માં જે ભગવાન છે (આત્મા) તેનો જ અનુભવ થાય છે.પણ જીવને અજ્ઞાનને લીધે,વાસનાને લીધે,અહમને લીધે તે પરમાત્માનો અનુભવ થતો નથી.
Subscribe to:
Comments (Atom)

