Sep 19, 2020

ભાગવત રહસ્ય -૩૯૬

આપણા શરીરમાં રુધિર,માંસ,હાડકાં છે.પણ શ્રીકૃષ્ણના “શ્રી અંગ”માં રુધિર માંસ નથી.તેમના શરીરમાં કેવળ આનંદ જ ભર્યો છે.શ્રીકૃષ્ણ આનંદ છે અને આનંદ શ્રીકૃષ્ણ છે.”નિરાકાર” આનંદ એ “નરાકાર” શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે.આવા સ્વયં આનંદરૂપ અને આનંદથી ભરેલા શ્રીકૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થઇ શકે? કે આવા આનંદરૂપ શ્રીકૃષ્ણ શું મળ મૂત્રથી ભરેલા શરીર સાથે રાસ રમી શકે ? જે પરમાત્મા (શ્રીકૃષ્ણ) નું યોગીઓ (મહાત્માઓ) ધ્યાન કરે છે, તેવા મહાત્માઓ પણ જો –મળમૂત્ર થી ભરેલા શરીરથી દૂર રહેતા હોય તો,તે પરમાત્મા તેવા મળમૂત્રથી ભરેલા શરીરો સાથે કેવી રીતે રમી શકે ? જે ભગવાન માં માત્ર આનંદ ભરેલો છે તે ભગવાન આવાં “શરીરો “ ને અડકતા પણ નથી.

Sep 18, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-21-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-21

 

ભાગવત રહસ્ય -૩૯૫

રાધાજી શ્રીકૃષ્ણને કહે છે કે-આ પોપટ (શુકદેવજી) મને બહુ ગમે છે,અને પોપટ શ્રીકૃષ્ણના હાથમાં આપ્યો છે.આ રીતે રાધાજી શુકદેવજીના ગુરૂ છે,કે જેમણે પરમાત્મા સાથે શુકદેવજીનો સંબંધ ગોઠવી આપ્યો.પરમાત્મા સાથે જે સંબંધ જોડી આપે તે મહાપ્રભુ-તેનું નામ પ્રગટરૂપે લેવાય નહિ.-તેથી ભાગવતમાં રાધાજી નું નામ પ્રગટ-રૂપે શુકદેવજી એ લીધું નથી.રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી તેમ કોઈ પણ ગોપીનું પણ પ્રગટ નામ મળતું નથી.
કાશ્ચિત,અન્યા,અપરા-શબ્દો ગોપી માટે વાપર્યા છે.પણ કોઈ પ્રગટ નામ નથી.