આપણા
શરીરમાં રુધિર,માંસ,હાડકાં છે.પણ
શ્રીકૃષ્ણના “શ્રી અંગ”માં રુધિર માંસ નથી.તેમના શરીરમાં કેવળ આનંદ જ ભર્યો છે.શ્રીકૃષ્ણ
આનંદ છે અને આનંદ શ્રીકૃષ્ણ છે.”નિરાકાર” આનંદ એ “નરાકાર” શ્રીકૃષ્ણનું સ્વરૂપ
છે.આવા
સ્વયં આનંદરૂપ અને આનંદથી ભરેલા શ્રીકૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થઇ શકે? કે
આવા આનંદરૂપ શ્રીકૃષ્ણ શું મળ મૂત્રથી ભરેલા શરીર સાથે રાસ રમી શકે ? જે
પરમાત્મા (શ્રીકૃષ્ણ) નું યોગીઓ (મહાત્માઓ) ધ્યાન કરે છે, તેવા મહાત્માઓ પણ જો –મળમૂત્ર
થી ભરેલા શરીરથી દૂર રહેતા હોય તો,તે
પરમાત્મા તેવા મળમૂત્રથી ભરેલા શરીરો સાથે કેવી રીતે રમી શકે ? જે
ભગવાન માં માત્ર આનંદ ભરેલો છે તે ભગવાન આવાં “શરીરો “ ને અડકતા પણ નથી.
Sep 19, 2020
Sep 18, 2020
ભાગવત રહસ્ય -૩૯૫
રાધાજી શ્રીકૃષ્ણને કહે છે કે-આ પોપટ (શુકદેવજી)
મને બહુ ગમે છે,અને પોપટ શ્રીકૃષ્ણના હાથમાં આપ્યો છે.આ રીતે રાધાજી શુકદેવજીના ગુરૂ છે,કે જેમણે
પરમાત્મા સાથે શુકદેવજીનો સંબંધ ગોઠવી આપ્યો.પરમાત્મા સાથે જે સંબંધ જોડી આપે તે મહાપ્રભુ-તેનું
નામ પ્રગટરૂપે લેવાય નહિ.-તેથી ભાગવતમાં રાધાજી નું નામ પ્રગટ-રૂપે
શુકદેવજી એ લીધું નથી.રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી તેમ કોઈ
પણ ગોપીનું પણ પ્રગટ નામ મળતું નથી.
કાશ્ચિત,અન્યા,અપરા-શબ્દો ગોપી માટે વાપર્યા છે.પણ
કોઈ પ્રગટ નામ નથી.
Subscribe to:
Posts (Atom)