Sep 18, 2020

ભાગવત રહસ્ય -૩૯૫

રાધાજી શ્રીકૃષ્ણને કહે છે કે-આ પોપટ (શુકદેવજી) મને બહુ ગમે છે,અને પોપટ શ્રીકૃષ્ણના હાથમાં આપ્યો છે.આ રીતે રાધાજી શુકદેવજીના ગુરૂ છે,કે જેમણે પરમાત્મા સાથે શુકદેવજીનો સંબંધ ગોઠવી આપ્યો.પરમાત્મા સાથે જે સંબંધ જોડી આપે તે મહાપ્રભુ-તેનું નામ પ્રગટરૂપે લેવાય નહિ.-તેથી ભાગવતમાં રાધાજી નું નામ પ્રગટ-રૂપે શુકદેવજી એ લીધું નથી.રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી તેમ કોઈ પણ ગોપીનું પણ પ્રગટ નામ મળતું નથી.
કાશ્ચિત,અન્યા,અપરા-શબ્દો ગોપી માટે વાપર્યા છે.પણ કોઈ પ્રગટ નામ નથી.

Sep 17, 2020

ભાગવત રહસ્ય -૩૯૪

વાસનારૂપી વસ્ત્ર જીવ અને પરમાત્માનું મિલન થતાં અટકાવે છે. ઇન્દ્રિયોમાંથી કામને કાઢવો કદાચ સહેલો હશે,પણ બુદ્ધિમાં રહેલા કામ ને કાઢવો મુશ્કેલ છે.પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય છે.પ્રકૃતિ (માયા) પર વિજય મેળવવો ઘણો મુશ્કેલ છે.યોગીના શરીરમાંથી કામ જાય છે,પણ બુદ્ધિમાંથી કામ જતો નથી.વૃદ્ધાવસ્થા માં શરીર શિથિલ થતાં ઇન્દ્રિયોમાંથી કામ જાય છે,પણ બુદ્ધિમાંથી કામ જતો નથી.ઋષિઓ પણ કામ થી હારેલા,તેથી તેઓ ગોપીઓ થઇ આવેલા અને તેઓએ નિશ્ચય કરેલો કે- આ કામભાવ શ્રીકૃષ્ણને અર્પણ કરી અને નિષ્કામ થઈશું..