સંસારનાં સર્વ સંસારિક સુખોનો મનથી ત્યાગ કરી ઈશ્વરને માટે વ્યાકુળતાથી (ગોપીઓની જેમ
જ) ઈશ્વરને મળવા નીકળી પડે છે તે ધન્ય છે.ઈશ્વર તેમનું સ્વાગત કરે છે.તેથી
તો ભગવાન એકએક ગોપીઓનું સ્વાગત કરતાં કહે છે કે-“સ્વાગતમ મહાભાગા” “હે
મહાભાગ્યશાળી સ્ત્રીઓ આવો!!” ભગવાને ગોપીઓ ને (મહાભાગ્યશાળી) આ બહુ મોટું સંબોધન
કર્યું છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Sep 25, 2020
Sep 24, 2020
ભાગવત રહસ્ય -૪૦૦
ગોપીઓ
ની કૃષ્ણ-મિલન ની આતુરતા નું વર્ણન કરતાં કહે છે કે-કેટલીક
ગોપીઓ કે જે ગાયો દોહતી હતી તે વાંસળી નો અવાજ સાંભળતાની સાથે જ –અત્યંત
ઉત્સુકતા-વશ તે ગાયો દોહવાનું કામ છોડીને શ્રીકૃષ્ણ તરફ દોડવા લાગી.દેહાધ્યાસ
(દેહનું ભાન) જાય ત્યારે આવી સ્થિતિ થાય છે.એક
ગોપી શૃંગાર કરતી હતી ત્યાં વાંસળીનો અવાજ તેણે સાંભળ્યો.તે સુધબુધ ભૂલી ગઈ છે ને આંખોમાં
મેંશ આંજવાને બદલે કંકુ આંજી ને દોડી છે.વળી
બીજીએ તો ચંદ્ર્હાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી ને દોડી છે. ત્રીજી
ઘરમાં લીંપવાનું કામ કરતી હતી,તેના હાથ છાણ થી ખરડાયેલા હતા,તે ધોયા વગર જ,તેવી ને
તેવી સ્થિતિમાં શ્રીકૃષ્ણને મળવા દોડી છે.
Subscribe to:
Comments (Atom)

