Oct 8, 2020

ભાગવત રહસ્ય -૪૧૨

જે સ્વરૂપ ને અંદર છુપાવી રાખે તે અંતર્હિત....
ગોપીઓને અંદરનો આનંદ આપવા-વિયોગનો આનંદ આપવા,પ્રભુ અંતર્હિત થયા છે.
વિયોગમાં થોડું દુઃખ થાય તો પછી સંયોગમાં આનંદ થાય છે.
શ્રીકૃષ્ણના આનંદ-સ્વ-રૂપનો આસ્વાદ લેનાર ગોપી છે.પ્રભુ અંદરથી,તો ગોપીઓનું  હિત કરવા તેમની સાથે રમતા હતા.પણ જ્યાં શ્રીકૃષ્ણે જોયું કે ગોપી હવે મને જોતી નથી,પણ પોતાને જુએ છે,તેને હવે ક્યાં મારી જરૂર છે ?

Oct 7, 2020

ભાગવત રહસ્ય -૪૧૧

દશ પંડિતો વિદ્યાભ્યાસ કરીને પાછા ફરતા હતા.રસ્તામાં નદી ઓળંગીને બીજે પાર આવ્યા.“આપણામાંથી કોઈ રહી તો ગયો નથી ને ?” એમ સમજી તેઓએ ગણત્રી શરુ કરી.એક પછી એક પંડિત સંખ્યા ગણે છે પણ પોતાને તેમાં ગણે નહિ.એટલે સંખ્યા દશ ને બદલે.નવની જ થાય છે.પોતાનામાંથી એક નદીમાં તણાઈ ગયો એમ સમજીને પંડિતો રડવા લાગ્યા.ત્યાં એક મહત્મા પસાર થતા હતા,તેમણે પંડિતોને રડવાનું કારણ પૂછ્યું.
પંડિતો એ પોતાની મૂંઝવણ રજુ કરી.મહાત્માએ દશની સંખ્યા પુરી કરી બતાવી-“દશમો તું છે”

Oct 6, 2020

ભાગવત રહસ્ય -૪૧૦

મહાત્માઓ કહે છે કે-ઈશ્વરનાં દર્શન થયા પછી પણ જપ વગેરે જે કંઈ સાધન કર્યું હોય 
તે છોડશો નહિ,સાધન છોડે તેને માયા ત્રાસ આપે છે.
ભક્તિમાં દૈન્ય-ભાવ જરૂરી છે,સર્વ સાધન (જપ-વગેરે) કરે પણ સાધનનું કે 
“સાધ્ય” (ઈશ્વર) મળી ગયા છે,તેનું અભિમાન નથી તે દૈન્ય-ભાવ.
ચમત્કાર પછી તો સહુ નમસ્કાર કરે પણ ચમત્કાર વગર નમસ્કાર કરે એમાં સૌજન્યતા છે.
એ જ ભક્તિ છે.ભક્તિમાં પહેલાં શ્રદ્ધા રાખવાથી અનુભવ થાય છે અને પછી તે
અનુભવનું જ્ઞાન મળવાથી ભક્તિ દૃઢ થાય છે.