ગોપીઓને અંદરનો આનંદ આપવા-વિયોગનો આનંદ આપવા,પ્રભુ અંતર્હિત થયા છે.
વિયોગમાં થોડું દુઃખ થાય તો પછી સંયોગમાં આનંદ થાય છે.
શ્રીકૃષ્ણના આનંદ-સ્વ-રૂપનો આસ્વાદ લેનાર ગોપી છે.પ્રભુ
અંદરથી,તો ગોપીઓનું હિત કરવા તેમની સાથે
રમતા હતા.પણ
જ્યાં શ્રીકૃષ્ણે જોયું કે ગોપી હવે મને જોતી નથી,પણ પોતાને જુએ છે,તેને હવે ક્યાં
મારી જરૂર છે ?
