Oct 9, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-37-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-37


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-36-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-36



ભાગવત રહસ્ય -૪૧૩

કહે છે કે-અંતર્ધાન થતી વખતે શ્રીકૃષ્ણે રાધાજીને સાથ માં લીધાં છે.આગળ ચાલતાં રાધાજી થાકી ગયાં છે,અને શ્રીકૃષ્ણને કહે છે કે –હું થાકી ગઈ છું,મારાથી ચલાય તેમ નથી,તમને મારી ગરજ હોય તો મને તમારા ખભા પર ચઢાવી અને લઇ જાવ.
શ્રીકૃષ્ણ કહે છે કે-ભલે,તો તમે મારા ખભા પર બેસો.રાધાજી ઝાડની ડાળી પકડીને શ્રીકૃષ્ણ ના ખભા પર બેસવા ગયા અને શ્રીકૃષ્ણ ત્યાંથી અંતર્ધાન થયા,
એટલે રાધાજી ઝાડની ડાળી પર લટકીને રહી ગયાં.