Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Oct 21, 2020
ભાગવત રહસ્ય -૪૨૩
જે
ક્રૂર છે તે શ્રીકૃષ્ણ ને લાવી શકે નહિ,જેનું મન અક્રૂર હોય તે ભગવાનને ઘેર લઇ
આવે.
કંસે
અક્રૂરને કહ્યું કે-કાકા,મારું એક ખાસ કામ કરવાનું છે. નારદજીએ કહ્યું છે કે
દેવકીનો આઠમો પુત્ર શ્રીકૃષ્ણ
એ મારો કાળ છે.વસુદેવે દગો કર્યો છે,અને દેવકીના તે આઠમા પુત્રને ગોકુળમાં મૂકી
આવ્યા છે.હું
પણ દગો કરીને શ્રીકૃષ્ણને મારી નાખીશ.મેં આ તો યજ્ઞનું એક બહાનું કર્યું છે,મારા
કાળને મારવા માટે મેં પણ ષડયંત્ર રચ્યું છે,જ્યાં સુધી મારો કાળ જીવે છે,ત્યાં
સુધી મને સુખ નથી.
Oct 20, 2020
ભાગવત રહસ્ય -૪૨૨
આ
વસુદેવે દગો કર્યો છે,લોકો જેને નંદબાબાનો કનૈયો કહે છે,તે નંદબાબાનો પુત્ર નથી
પણ દેવકીનો આઠમો
પુત્ર છે અને તે જ તારો કાળ છે.
કંસ
કહે છે કે-મેં તો તેમને કેદમાં રાખ્યા હતા,તો તે ગોકુળ ગયા કેવી રીતે ?
નારદજી
કહે છે કે-તું બહુ ભોળો છે,તને ખબર નથી,વસુદેવે તારી સાથે કપટ કર્યું છે,તેઓ ભોયરા
વાટે ગોકુળમાં
ગયેલા.દેવકીનો આઠમો પુત્ર નંદજીને ત્યાં મૂકી આવ્યા અને યશોદાજીની પુત્રી ને
અહીં લઇ આવ્યા.શ્રીકૃષ્ણ દેવકીના પુત્ર છે અને બલરામ રોહિણીના પુત્ર છે.તેઓએ
તારા ઘણા સેવકોને મારી નાખ્યા છે.
Subscribe to:
Comments (Atom)

