Oct 30, 2020

ભાગવત રહસ્ય -૪૩૧

શ્રીકૃષ્ણે ફરીથી રથ ઉભો રખાવ્યો છે. અને ગોપીઓને કહે છે કે-દૈત્યોનો સંહાર એ મારા અવતારનું મુખ્ય પ્રયોજન નથી,પણ મારા અવતારનું મુખ્ય પ્રયોજન છે,
ગોકુલમાં પ્રેમલીલા કરવાનું. તેથી એક સ્વરૂપે હું અહીં રહીશ અને તમારે ઘેર આવીશ અને એક સ્વરૂપે હું મથુરા જઈશ. પહેલા તો એક યશોદાને ત્યાં એક કનૈયો હતો,હવે જેટલી ગોપી એટલા કૃષ્ણ બન્યા છે.

Oct 29, 2020

ભાગવત રહસ્ય -૪૩૦

કનૈયાના વિદાય પ્રસંગે અત્યાર સુધી ધીરજ રાખીને ઉભેલાં યશોદાજીનું ધૈર્ય હવે રહ્યું નથી.યશોદામા નો લાડીલો લાલો આજે ગોકુળ છોડીને જાય છે.”મારો લાલો હવે જાય છે!!!”મા ને લોક-લજ્જાનું ભાન રહ્યું નથી.યશોદા મા પ્રેમમાં પાગલ થયા છે.
રથની પાછળ પાછળ રડતાં રડતાં દોડે છે. પ્રભુએ જોયુ કે મારી મા પાછળ દોડતી આવે છે,તેમણે અક્રૂર ને રથ ઉભો રાખવા કહ્યું. રથ અટક્યો છે.