Oct 31, 2020

ભાગવત રહસ્ય -૪૩૨

તેની ભક્તિ સાચી, કે જેને ભગવાન યાદ કરે.દુઃખી જીવ આનંદ મેળવવા પ્રભુનું સ્મરણ કરે,તો તેમાં કોઈ આશ્ચર્ય નથી.પણ આનંદ-રૂપ પરમાત્મા કોઈ જીવનું સ્મરણ કરે ત્યારે તે જીવ કૃતાર્થ થાય છે.તે જીવ ધન્ય છે.
રામાયણમાં ચિત્રકૂટમાં બેઠેલા રામજી,ભરતજીને યાદ કરે છે,તેમ આજે શ્રીકૃષ્ણ યશોદા ને યાદ કરે છે.ભક્તિ એવી હોવી જોઈએ કે પરમાત્મા ને તે ભક્ત વગર ચેન ના પડે.

Oct 30, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-51-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-51


ભાગવત રહસ્ય -૪૩૧

શ્રીકૃષ્ણે ફરીથી રથ ઉભો રખાવ્યો છે. અને ગોપીઓને કહે છે કે-દૈત્યોનો સંહાર એ મારા અવતારનું મુખ્ય પ્રયોજન નથી,પણ મારા અવતારનું મુખ્ય પ્રયોજન છે,
ગોકુલમાં પ્રેમલીલા કરવાનું. તેથી એક સ્વરૂપે હું અહીં રહીશ અને તમારે ઘેર આવીશ અને એક સ્વરૂપે હું મથુરા જઈશ. પહેલા તો એક યશોદાને ત્યાં એક કનૈયો હતો,હવે જેટલી ગોપી એટલા કૃષ્ણ બન્યા છે.