Nov 3, 2020

ભાગવત રહસ્ય -૪૩૫

કંસ-એ અભિમાનનું સ્વરૂપ છે.કંસની રાણીઓના નામ છે-“અસ્તિ” અને “પ્રાપ્તિ” તે પણ સૂચક છે,આખો દિવસ અસ્તિ અને પ્રાપ્તિનો વિચાર કરે તે અભિમાની કંસ છે.
અસ્તિ- એટલે મારી પાસે આટલું છે અને હવે આટલું હું પ્રાપ્ત કરીશ, એમ આખો  દિવસ પૈસા નું ચિંતન કરે,નીતિ કે અનીતિથી પૈસા કમાઈ ને મોજ-શોખમાં,તથા સંસાર સુખ ભોગવવાની ઈચ્છા રાખે –અને-જે ધર્મને માનતો નથી તે કંસ છે.તે પિતા ઉગ્રસેનને કેદ કરી તે રાજા બન્યો છે.પાપની જેને બીક નથી અને બીજાને રડાવી પોતે આનંદ ભોગવે તે કંસ છે.

Nov 2, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-55-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-55


ભાગવત રહસ્ય -૪૩૪

પહેલવાન ચાણુર આવેશમાં બોલવા લાગ્યો એટલે કનૈયાને પણ આવેશ આવ્યો છે.
શ્રીકૃષ્ણે કહ્યું કે મારો હાથ છોડી દે,હાથ પકડવાની શી જરૂર છે?મારી માએ મને બહુ માખણ ખવડાવ્યું છે.મારી માએ મને બળવાન કરી ને મોકલ્યો છે,તારી ઈચ્છા જ છે તો હું લડવા તૈયાર છું-એમ કહી અખાડામાં કુદી પડ્યા છે.ચાણુર સાથે શ્રીકૃષ્ણની અને મુષ્ટિક સાથે બલરામની કુસ્તી થાય છે.કંસના સેવકો કંસના કહેવા મુજબ મલ્લોને શૂરાતન ચઢાવવા નગારાં વગાડે છે.