Nov 4, 2020

ભાગવત રહસ્ય -૪૩૬


નંદબાબાનો મુકામ મથુરાની બહાર બગીચામાં જ હતો.શ્રીકૃષ્ણ-બળરામને રાજમહેલમાં લઇ ગયા છે.નંદજીને ગર્ગાચાર્ય કહેવા આવ્યા છે કે-શ્રીકૃષ્ણ,વસુદેવનો આઠમો પુત્ર છે.તમારે ત્યાં કન્યા થઇ હતી.શ્રીકૃષ્ણ હવે ગોકુળ નહિ આવે પણ મથુરામાં જ રહેશે.
શ્રીકૃષ્ણ મારો પુત્ર નથી,એવું સાંભળતાં જ નંદબાબાને મૂર્છા આવી છે,ખબર પડતાં 
શ્રી કૃષ્ણ દોડતા આવ્યા છે.અને આવીને નંદબાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.નંદબાબા જાગ્યા છે અને કનૈયાને છાતી સરસો ચાંપ્યો છે. 

Nov 3, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-56-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-56


ભાગવત રહસ્ય -૪૩૫

કંસ-એ અભિમાનનું સ્વરૂપ છે.કંસની રાણીઓના નામ છે-“અસ્તિ” અને “પ્રાપ્તિ” તે પણ સૂચક છે,આખો દિવસ અસ્તિ અને પ્રાપ્તિનો વિચાર કરે તે અભિમાની કંસ છે.
અસ્તિ- એટલે મારી પાસે આટલું છે અને હવે આટલું હું પ્રાપ્ત કરીશ, એમ આખો  દિવસ પૈસા નું ચિંતન કરે,નીતિ કે અનીતિથી પૈસા કમાઈ ને મોજ-શોખમાં,તથા સંસાર સુખ ભોગવવાની ઈચ્છા રાખે –અને-જે ધર્મને માનતો નથી તે કંસ છે.તે પિતા ઉગ્રસેનને કેદ કરી તે રાજા બન્યો છે.પાપની જેને બીક નથી અને બીજાને રડાવી પોતે આનંદ ભોગવે તે કંસ છે.