Nov 4, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-57-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-57


ભાગવત રહસ્ય -૪૩૬


નંદબાબાનો મુકામ મથુરાની બહાર બગીચામાં જ હતો.શ્રીકૃષ્ણ-બળરામને રાજમહેલમાં લઇ ગયા છે.નંદજીને ગર્ગાચાર્ય કહેવા આવ્યા છે કે-શ્રીકૃષ્ણ,વસુદેવનો આઠમો પુત્ર છે.તમારે ત્યાં કન્યા થઇ હતી.શ્રીકૃષ્ણ હવે ગોકુળ નહિ આવે પણ મથુરામાં જ રહેશે.
શ્રીકૃષ્ણ મારો પુત્ર નથી,એવું સાંભળતાં જ નંદબાબાને મૂર્છા આવી છે,ખબર પડતાં 
શ્રી કૃષ્ણ દોડતા આવ્યા છે.અને આવીને નંદબાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.નંદબાબા જાગ્યા છે અને કનૈયાને છાતી સરસો ચાંપ્યો છે.