Nov 21, 2020

ભાગવત રહસ્ય -૪૫૩

કંસની રાણીઓ અસ્તિ-પ્રાપ્તિ,કંસના મૃત્યુ પછી પિતા જરાસંઘને ઘેર આવી છે.જરાસંઘે જયારે જાણ્યું કે,શ્રીકૃષ્ણે કંસને માર્યો તેથી મારી પુત્રીઓ વિધવા થઇ છે,એટલે તે ગુસ્સે થયો અને મથુરા પર ચડાઈ કરી.ભગવાને વિચાર્યું કે-હાલ જરાસંઘને મારીશ તો પૃથ્વી પર નો ભાર ઓછો થશે નહિ,તે જીવતો હશે તો તેના પાપી સાથીદારો રાજાઓની સાથે સેના લઇને લડવા આવશે તો તે પાપી રાજાઓને શોધવા જવું નહિ પડે,તેઓ અત્રે આવશે જ.
તેથી ભગવાન જરાસંઘ ને મારતા નથી,તેની સેનાને,સાથીદારોને મારે છે.

Nov 20, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-64-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-64


ભાગવત રહસ્ય -૪૫૨-સ્કંધ-૧૦-ઉત્તરાર્ધ

દશમ સ્કંધના પૂર્વાર્ધમાં ઉદ્ધવાગમનની કથા સાથે ગોપી-પ્રેમની કથા પૂરી થઇ.
ગોપીઓ પ્રેમ-લક્ષણા ભક્તિની આચાર્યાઓ છે.ઘરમાં રહી ઘર-કામ કરતાં કરતાં,કેવી રીતે પ્રભુ-દર્શન કરવું તે ગોપીઓ સમજાવે છે.
વ્યાસજીનો નિયમ છે કે-ચરિત્ર (પાત્ર) આપ્યા પછી,ઉપસંહારમાં તે ચરિત્રનું રહસ્ય બતાવવું.
કંસ મર્યા પછી કંસ કોણ છે? તે ઉતરાર્ધના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે.