Nov 28, 2020

ભાગવત રહસ્ય -૪૬૦

સુદેવ બ્રાહ્મણે રુક્મીણીજી ને કહ્યું કે-'બેટા,દ્વારકાનાથ ને લઈને આવ્યો છું,પ્રભુએ તારો સ્વીકાર કર્યો છે.તું ચિંતા કરીશ નહિ,તું અંબાજીની પૂજા કરવા જઈશ,ત્યાં દ્વારકાનાથ રથને ઉભો રાખશે,અને તને રથમાં બેસાડીને દ્વારકા લઇ જશે'આ સાંભળી રુક્મિણીને બહુ આનંદ થયો છે,બ્રાહ્મણને વારંવાર વંદન કરીને પૂછે છે કે-હું તમારી શુ સેવા કરું ?તમને શુ આપું ?
બ્રાહ્મણ કહે છે કે-'મારે કોઈ વસ્તુની જરૂર નથી,મેં જે કાંઇ કર્યું છે તે તે કોઈ વસ્તુ લેવા માટે નહિ,મને કોઈ અપેક્ષા નથી.

Nov 27, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-71-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-71


ભાગવત રહસ્ય -૪૫૯

પત્રમાં શ્રીકૃષ્ણ ને બે,સુંદર સંબોધનો કર્યા છે. અચ્યુત અને ભુવન-સુંદર.
જેને કામનો સ્પર્શ થતો નથી તે અચ્યુત.અને જે નિષ્કામ છે તે જ સુંદર છે.
કારણકે એકવાર કામનો સ્પર્શ થયા પછી,સૌન્દર્યનો વિનાશ થાય છે.શ્રીકૃષ્ણ ભુવન-સુંદર છે.
જ્ઞાની પુરુષો મનને સમજાવે છે કે આ સંસાર સુંદર નથી 
પણ સંસારને બનાવનાર-સર્જનહાર સુંદર છે.