Nov 29, 2020

ભાગવત રહસ્ય -૪૬૧

આ બાજુ દાઉજીને ખબર પડી કે શ્રીકૃષ્ણ, રુક્મિણીનું હરણ કરવા ગયા છે,તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને યાદવ સેના સાથે તેમણે રાતો રાત પ્રયાણ કર્યું. સમયસર પહોંચી ને શિશુપાલ તથા જરાસંઘ ની સેના સાથે યુદ્ધ કરીને તેમની સેના છિન્ન-ભિન્ન કરી નાંખી .શિશુપાલ,જરાસંઘ અને બીજા ભાડુતી રાજાઓ પણ જાન બચાવવા ભાગી ગયા છે.

Nov 28, 2020

ભાગવત રહસ્ય -૪૬૦

સુદેવ બ્રાહ્મણે રુક્મીણીજી ને કહ્યું કે-'બેટા,દ્વારકાનાથ ને લઈને આવ્યો છું,પ્રભુએ તારો સ્વીકાર કર્યો છે.તું ચિંતા કરીશ નહિ,તું અંબાજીની પૂજા કરવા જઈશ,ત્યાં દ્વારકાનાથ રથને ઉભો રાખશે,અને તને રથમાં બેસાડીને દ્વારકા લઇ જશે'આ સાંભળી રુક્મિણીને બહુ આનંદ થયો છે,બ્રાહ્મણને વારંવાર વંદન કરીને પૂછે છે કે-હું તમારી શુ સેવા કરું ?તમને શુ આપું ?
બ્રાહ્મણ કહે છે કે-'મારે કોઈ વસ્તુની જરૂર નથી,મેં જે કાંઇ કર્યું છે તે તે કોઈ વસ્તુ લેવા માટે નહિ,મને કોઈ અપેક્ષા નથી.