Dec 15, 2020

ભાગવત રહસ્ય -૪૭૬

દશમ સ્કંધ ના અંતમાં વર્ણવ્યું છે –સુભદ્રાહરણ.ભદ્ર એટલે કલ્યાણ.કલ્યાણ કરનારી અદ્વૈત બ્રહ્મવિદ્યા –તે જ સુભદ્રા. સુભદ્રા (બ્રહ્મવિદ્યા) ક્યારે મળે? અર્જુનને ચાર મહિના તપશ્ચર્યા કરાવીને શ્રીકૃષ્ણ તેને સુભદ્રા આપે છે.અર્જુન ત્રિદંડી સંન્યાસ લે છે.(અઢાર કલાક રોજ જપ કરવાનો.) સર્વ કામનાઓનો ત્યાગ કરે છે પછી તેને સુભદ્રા (બ્રહ્મ-વિદ્યા) મળે છે.

Dec 14, 2020

ભાગવત રહસ્ય -૪૭૫

તે પછી એક વખત સૂર્યગ્રહણનો સમય આવ્યો છે.કુરુક્ષેત્રમાં વ્રજવાસીઓ,યાદવો,
વસુદેવ,દેવકી સર્વ એક સાથે એકઠાં થયા છે.સર્વ સાથે શ્રીકૃષ્ણનું એક સાથે મિલન થયું છે. પરમાનંદ થયો છે.ગોપીઓનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ નિહાળી ને પ્રભુની પત્નીઓ પોતાની જાતને ધિક્કારવા લાગી.“અમને આ ગોપીઓ જેવો પ્રેમ ક્યારે પ્રાપ્ત થશે?” ભગવાનની રાણીઓ એ રાધાજીની પ્રશંસા સાંભળી હતી,તેઓ વિચારતી કે રાધાજીમાં એવી શી વિશેષતા છે ?  

Dec 12, 2020

ભાગવત રહસ્ય -૪૭૪

શ્રીકૃષ્ણ સુદામાને વળાવવા જાય છે.વિદાયવેળાએ સુદામાને કહે છે કે-'મિત્ર,તું બીજી વખતે આવે ત્યારે એકલો ના આવતો,ભાભીને પણ લાવજે,ઘેર જઈ ભાભીને મારા પ્રણામ કહેજે.' આખું જગત જેને વંદન કરે છે તે એક ગરીબ બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે.
'મારી મા યશોદા ગોકુળમાં હતો ત્યારે જેવા પૌંઆ આપતી હતી તેવી ભેટ મને ભાભીએ આપી છે'