Dec 19, 2020

ભાગવત રહસ્ય -૪૮૦

આત્મ-સ્વ-રૂપ ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મ-રૂપે=નિયંતા રૂપે રહેલા છે.(સ્થિત છે).જે મનુષ્ય ન્યૂનતા (ઓછું) કે અધિકતા (વધારે) ના જોતાં સર્વત્ર પરિપૂર્ણ ભગવત સત્તા જ જુએ છે,અને સાથોસાથ સમસ્ત પ્રાણી કે પદાર્થ,આત્મ-સ્વ-રૂપ ભગવાનનું જ સ્વ-રૂપ છે,એવું સમજે છે.વળી, જેને તેવો અનુભવ  થઈને આવી દૃષ્ટિ સિદ્ધ થઇ છે,
તે ભગવાન નો પરમપ્રેમી ઉત્તમ ભાગવત ભક્ત છે.(૧૧-૨-૪૫)

Dec 18, 2020

ભાગવત રહસ્ય -૪૭૯

જીવ,ઈશ્વરથી થોડો પણ વિખુટો હશે તો અંતે રડવાનું છે. ઈશ્વરના વિયોગનો રોગ જીવને થયો છે.અને આ વિયોગ રૂપી દુઃખની દવા એ છે કે-જીવ,ઈશ્વર સાથે સંબંધ જોડે.“મારે ઈશ્વરમાં મળી જવું છે” તેવો નિશ્ચય કરવાનો છે.પણ આ શરીરથી શરૂમાં બ્રહ્મ-સંબંધ થઇ શકે નહિ,શરીર મલિન ,શરીરમાંથી સતત દુર્ગંધ નીકળે છે.તેથી પ્રારંભમાં મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવો જોઈએ.કાળ સર્વને માથે છે.તેમાંથી છૂટવા કાળના યે કાળ શ્રીકૃષ્ણને શરણે જવું જોઈએ.

Dec 17, 2020

ભાગવત રહસ્ય -૪૭૮

એક દિવસ પિંડારક તીર્થમાં ઋષિમુનિઓ બેઠા હતા.યાદવકુમારોને આ ઋષિઓની મશ્કરી કરવાનું સુઝ્યું. અતિસંપત્તિમાં યાદવો ભાન ભૂલ્યા છે.યાદવકુમારોએ શાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવી તેને ઋષિમુનિઓ પાસે લઇ ગયા.અને ઋષિમુનિઓને પૂછ્યું કે આ સ્ત્રી ગર્ભિણી છે,આને પુત્ર થશે કે પુત્રી? ઋષિઓને આ ઠીક લાગ્યું નહિ.અને શાપ આપ્યો કે-આને પુત્ર કે પુત્રી નહિ પણ તમારા વંશનો વિનાશ કરનારું મુશળ પેદા થશે.