Jan 8, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭

કારણ એ છે કે-મનુષ્ય ઇન્દ્રિયો (આંખ-વગેરે) ને આધીન છે,ઇન્દ્રિયોનો દાસ છે.
અને ઇન્દ્રિયો (કાન –આંખ-વગેરે) નો સ્વભાવ જ એવો છે કે-
તેમને તેમના વિષયો (સાંભળવું-જોવું-વગેરે) સિવાય બીજા કશામાં સુંદરતા દેખાતી નથી.
એથી જ -સામાન્ય રીતે- ઇન્દ્રિયો (આંખ-વગેરે) તેના વિષયનું (જોવું-વગેરે) સેવન કરે છે,
પણ વિષયો-સ્થિર નથી.આંખ જો સુંદરતા  જુએ તો સુખ મળે –કદરૂપતા જુએ તો દુઃખ મળે--એટલે સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. સુખ-દુઃખ અનુભવાય છે.અને આ સુખ-દુઃખમાં અંતઃકરણ પણ ગૂંથાય છે-જોડાય છે.