જેમ,રસ્તે જતાં માર્ગમાંથી ભાગ્યવશ કોઈ કિંમતી હીરો મળી જાય-કે-જેમ,બગાસું ખાવ- મોઢું પહોળું થયું હોય-તે જ વખતે અકસ્માત અમૃતબિંદુ અંદર આવી
પડે-તેવી જ રીતે-
હે અર્જુન,સહજતાથી-સ્વર્ગના દ્વાર-સમું,આવું ધર્મયુદ્ધ તને પ્રાપ્ત થયું છે.અને આવું ધર્મયુદ્ધ તો કોઈ ભાગ્યશાળી ક્ષત્રિય ને જ પ્રાપ્ત થાય છે,જાણે તારા ગુણોની કીર્તિ સાંભળીને –તારામાં આસક્ત થઇ -પ્રત્યક્ષ કીર્તિદેવી
તને વરમાળા આરોપવા આવ્યા હોય તેવું લાગે છે. (૩૨)
