Jan 25, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-17-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-17


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૩

પ્રાણીમાત્ર ઉત્પત્તિ અને પોષણ અન્નમાંથી થાય છે,અન્નની ઉત્પત્તિ અને પોષણ વરસાદથી થાય છે.વરસાદની ઉત્પત્તિ યજ્ઞથી થાય છે, યજ્ઞની ઉત્પત્તિ કર્મમાંથી થાય છે.કર્મની ઉત્પત્તિ વેદમાંથી (વેદ રૂપી બ્રહ્મ માંથી) થાય છે.અને વેદની ઉત્પત્તિ પરમાત્મા માંથી થાય છે.એટલે કે વેદોમાં 
જે સ્વ-ધર્મ રૂપી “કર્મ” બતાવ્યું છે, તે “કર્મ” માં પરમાત્માનો વાસ છે.(૧૪-૧૫) 
ઉપર બતાવ્યું –તે પ્રમાણે જગતનું (સૃષ્ટિનું) એક “ચક્ર” ચાલ્યે જાય છે.