Jan 26, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-01-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-01


INDEX PAGE     PREVIOUS PAGE   NEXT PAGE

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૪

જયારે,પુરુષ આત્મ-તત્વને ખોળી કાઢે છે,ત્યારે,તે આત્મ-સ્વ-રૂપમાં નિમગ્ન (એકાકાર) થઇ જાય છે,આત્મ-સુખથી તૃપ્ત થઈ જાય છે.પરમાનંદની એ મસ્તીમાં તે આત્માના જ બોધ વડે સંતુષ્ટ થઇ જાય છે-ત્યારે તેના માટે કોઈ કર્મો બાકી રહેતા નથી.પરમાત્માની ખોજ ખતમ થાય છે. તેમ છતાં-તે શારીરિક કર્મો કરે છે- પણ કર્મથી લિપ્ત (કર્મો જોડે જોડાતો) થતો નથી.(આસક્ત થતો નથી) આ જગતમાં તે કર્મ કરે કે ના કરે –તેને કોઈ લાભ કે હાનિ થતી નથી.તેને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો હોતો નથી.કોઈ વસ્તુ મળે તો પણ આનંદ અને ન મળે તો પણ આનંદ.(૧૭-૧૮)