Jan 27, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૫

શ્રીકૃષ્ણ જનોઈના સંસ્કાર પછી,વિદ્યાભ્યાસ માટે સાંદીપનિ નામના બ્રાહ્મણને 
ત્યાં  રહ્યા હતા.વિદ્યાભ્યાસ પત્યા પછી, ગુરુદક્ષિણા માગી લેવાની ગુરુને પ્રાર્થના કરી 
ત્યારે –ગુરુએ કહ્યું કે-“પ્રભાસ ક્ષેત્રમાં ડૂબી ગયેલા મારા પુત્રને પાછો લાવી આપો.” 
તે પછી,શ્રીકૃષ્ણ પ્રભાસ ગયા 
અને ત્યાં સમુદ્ર પાસે –ગુરુપુત્રની માગણી કરી.સમુદ્રે કહ્યું-કે મેં તેને ડુબાડ્યો નથી 
પણ મારા પાણીમાં શંખનું સ્વરૂપ લઇ રહેતા અસુરથી તે હણાયો છે.