Jan 30, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૮

શ્રીકૃષ્ણ અર્જુનને જવાબ આપતા કહે છે-કે-કામ અને ક્રોધ છે.કે જેની ઉત્પત્તિ પ્રકૃતિના રજોગુણમાંથી થઇ છે.આ બંને મહાપાપી છે,અને તેમની જ પ્રેરણાથી મનુષ્ય પાપાચરણ કરે છે.
માટે આ બંનેને તું “મહાન વેરી” સમજજે.(૩૭) ભાગવતની એક કથા અત્રે યાદ આવે છે.
વ્યાસજી ભાગવતની રચના કરતા હતા ત્યારે તે શ્લોકો રચી પોતાના શિષ્ય જૈમિની ઋષિને
તપાસી જવા માટે આપતા હતા.નવમાં સ્કંધમાં જૈમિનીના વાંચવામાં આ શ્લોક આવ્યો.
બલવાનિન્દ્રિયગ્રામો વિદ્વાંસમપિ કર્ષતિ (ભા-૯-૧૯-૧૭)
(ઇન્દ્રિયો એટલી બળવાન છે-કે ભલભલા વિદ્વાનોને પણ ચળાવી દે છે)