Feb 5, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૩

સાચા જ્ઞાન  (સત્ય-જ્ઞાન)ના અભાવે-એટલે કે-અજ્ઞાનથી -
કે પછી- સત્ય (સાચું) જ્ઞાન જેની –“બુદ્ધિ” માં- નથી-
તેવા અજ્ઞાની લોકો-જુદા જુદા દેવ-દેવીઓમાં જ.(દેવ-દેવીઓની મૂર્તિઓમાં જ)
(૧)-કાં-તો-તે દેવ-દેવીઓમાં –જ- માત્ર ભગવાન –ઈશ્વર છે-તેવી કલ્પના કરે છે. (આસ્તિકતા)

Feb 4, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-09-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-09


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૨

જગતના જેટલા જેટલા ધર્મ છે,તે પરમાત્મા એ જ નિર્માણ કરેલા છે,
જુદી જુદી પ્રકૃતિ  (સાત્વિક,રાજસિક,તામસિક) ના માટે ના જુદા જુદા ધર્મો (સ્વ-ધર્મો) છે,તે –સર્વ-ધર્મનું  (સ્વ-ધર્મનું)  પ્રત્યેક યુગમાં પરમાત્માએ  રક્ષણ કરવું જ જોઈએ,એવો ક્રમ અનાદિ-કાળથી ચાલ્યો આવે છે,એટલે જે જે સમયમાં અધર્મના વધવાથી ધર્મ નો (સ્વ-ધર્મનો) ક્ષય (નાશ) થાય છે,ત્યારે,
તે તે સમય માં ભક્તોના (સ્વ-ધર્મી મનુષ્યોના) સંરક્ષણ કરવા માટે,
પરમાત્મા  દેહ ધારણ કરે છે.નિરાકાર પરમાત્મા - સાકાર-થઇ- “દેવ-રૂપી અવતાર” (શ્રીકૃષ્ણ-રામ-વગેરે) ધારણ કરે છે.