Feb 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૭

જયારે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે-અંતરમાં રહેલા પરબ્રહ્મનો (આત્માનો) સાક્ષાત્કાર થાય છે-ત્યારે-આપોઆપ-જ-
--સર્વ કર્મની ઈચ્છા શમી જાય છે.
--સર્વ તર્કોનો લોપ  (નાશ) થઇ જાય છે.
--ઇન્દ્રિયો  (મુખ-વગેરે) વિષય (સ્વાદ-વગેરે)ને ભૂલી જાય છે.
--મનનું મનપણું બાજુ પર જતું રહે છે.
--શબ્દોની દોડ અટકી  જાય છે-વિચારોની ઉત્કંઠા પૂરી થાય છે.