Mar 7, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૯

પરમાત્મા (બ્રહ્મ)નો જે “અવ્યક્ત” ભાવ છે(નિરાકાર-નિર્ગુણ) તેને અક્ષર(નાશ ન પામનાર) કહે છે.અને તેને જ “પરમ ગતિ” કહેવામાં આવે છે. પરમાત્માનું એ પરમધામ છે.
કે જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી ફરીથી ત્યાંથી પાછા આવતા નથી.પરમાત્માના આ પરમધામમાં સર્વ જીવોનો સમાવેશ થઇ જાય છે.જેનાથી (જે પરમાત્માથી) 
આ જગત વ્યાપ્ત છે-તે –“પરમ પુરુષ”  અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૧-૨૨)