Mar 8, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૦-અધ્યાય-૯

અધ્યાય-૯-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે-કે-
જે જ્ઞાનને જાણવાથી આ અશુભ સંસારમાંથી મુક્ત થવાય છે-તે અત્યંત ગુહ્ય (ગુપ્ત) જ્ઞાન –વિજ્ઞાન સહિત તને (ફરીથી) કહી સંભળાવું છું.આ જ્ઞાન સર્વ વિદ્યાનો રાજા (રાજ-વિદ્યા) સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ (રાજ-ગુહ્ય) છે.
-પવિત્ર છે,-ઉત્તમ છે,-પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે તેમ છે,-ધર્મને અનુસરનારુ છે,
-સહેલાઈથી પ્રાપ્ત થનારું છે,અને -અવિનાશી (નાશ ન પામે તેવું) છે ((૧-૨) 

Mar 7, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૯

પરમાત્મા (બ્રહ્મ)નો જે “અવ્યક્ત” ભાવ છે(નિરાકાર-નિર્ગુણ) તેને અક્ષર(નાશ ન પામનાર) કહે છે.અને તેને જ “પરમ ગતિ” કહેવામાં આવે છે. પરમાત્માનું એ પરમધામ છે.
કે જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી ફરીથી ત્યાંથી પાછા આવતા નથી.પરમાત્માના આ પરમધામમાં સર્વ જીવોનો સમાવેશ થઇ જાય છે.જેનાથી (જે પરમાત્માથી) 
આ જગત વ્યાપ્ત છે-તે –“પરમ પુરુષ”  અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૧-૨૨)