Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 8, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૦-અધ્યાય-૯
અધ્યાય-૯-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે-કે-જે જ્ઞાનને જાણવાથી આ અશુભ સંસારમાંથી મુક્ત
થવાય છે-તે અત્યંત ગુહ્ય (ગુપ્ત) જ્ઞાન –વિજ્ઞાન સહિત તને (ફરીથી) કહી સંભળાવું છું.આ જ્ઞાન સર્વ વિદ્યાનો રાજા (રાજ-વિદ્યા) સર્વ
ગુહ્યમાં શ્રેષ્ઠ (રાજ-ગુહ્ય) છે.
-પવિત્ર છે,-ઉત્તમ
છે,-પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે તેમ છે,-ધર્મને અનુસરનારુ છે,
-સહેલાઈથી પ્રાપ્ત
થનારું છે,અને -અવિનાશી (નાશ ન પામે તેવું) છે ((૧-૨)
Mar 7, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૯
પરમાત્મા (બ્રહ્મ)નો જે “અવ્યક્ત” ભાવ છે(નિરાકાર-નિર્ગુણ) તેને અક્ષર(નાશ ન પામનાર) કહે છે.અને તેને જ “પરમ
ગતિ” કહેવામાં આવે છે. પરમાત્માનું એ પરમધામ છે.
કે જ્યાં જ્ઞાનીઓ
પહોંચ્યા પછી ફરીથી ત્યાંથી પાછા આવતા નથી.પરમાત્માના આ
પરમધામમાં સર્વ જીવોનો સમાવેશ થઇ જાય છે.જેનાથી (જે
પરમાત્માથી)
આ જગત વ્યાપ્ત છે-તે –“પરમ પુરુષ” અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૧-૨૨)
Subscribe to:
Comments (Atom)

