Mar 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૧

પ્રાણીમાત્રની ઉત્પત્તિ-સ્થિતિ-અને લય –એ ત્રણે અવસ્થા નું કારણ “માયા” છે.
જેને “પ્રકૃતિ” પણ કહેવામાં આવે છે.અને તેના બે મૂળભૂત પ્રકાર છે -પરા-અપરા 
કલ્પના અંતે સર્વ જીવો પરમાત્માના પ્રકૃતિરૂપ (અવ્યક્ત) સ્વરૂપમાં લય પામે છે. (પ્રલય=લયનો સમય) 
અને બીજા કલ્પ ના આરંભમાં.
ફરીથી જીવોને ઉત્પન્ન પણ પરમાત્મા –પ્રકૃતિના આધારે કરે છે.(૭)