Mar 15, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૫

જે પ્રમાણે અગ્નિમાં શેકેલાં બીજને અંકુર ફૂટતાં નથી, તે પ્રમાણે-નિષ્કામ બુદ્ધિ થી પરમાત્માને અર્પણ કરેલાં શુભ કે અશુભ કર્મો –ની ફળ-પ્રાપ્તિ થતી નથી.એટલે કે જો કર્મો જ ઈશ્વરને અર્પણ કરવામાં આવે તો-તે-જ-વખતે જન્મ-મરણનો ફેરો ટળી જાય છે-
કર્મનું બંધન રહેતું નથી-અને સર્વ દુઃખોની આપોઆપ નિવૃત્તિ થઇ જાય છે.(૨૮)