Mar 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૨

ત્યારે અર્જુન કહે છે-કે-હે શ્રીકૃષ્ણ,એમાં દોષ કોનો છે ? તમે દર્પણને લુછીને સ્વચ્છ કરીને –પછી તે -આંધળા મનુષ્યને બતાવવાની ખટપટ કરો છો. 
અથવા તો જાણે બહેરાની સામે ગાયન લલકારવા બેઠા છો.
જે વિશ્વરૂપ-ઇન્દ્રિયો ને દેખાય તેવું નથી–જેને માત્ર જ્ઞાનદૃષ્ટિ જ જોઈ શકે છે-
એવું શાસ્ત્રોએ વર્ણન કર્યું છે,અને એવું આપે પણ કહ્યું હતું,
તે વિશ્વરૂપ ને તમે મારી આંખો (ચર્મચક્ષુ) સામે રજુ કરો-તો હું તેને કઈ રીતે જોઈ શકું ?

Mar 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૧-અધ્યાય-૧૧-વિશ્વરૂપદર્શન યોગ

અધ્યાય-૧૧-વિશ્વરૂપદર્શન યોગ
અત્યાર સુધીમાં શ્રીકૃષ્ણે અર્જુનને આંતરદૃષ્ટિથી (જ્ઞાનદ્રષ્ટિથી) એ વસ્તુની તો પ્રતીતિ કરાવી દીધી કે-'સર્વ જગત ઈશ્વરરૂપ (પરમાત્મારૂપ-બ્રહ્મરૂપ-વિશ્વરૂપ) છે'
જેના લીધે અર્જુનનો 'મોહ'-તો નાશ પામ્યો.પણ હજુ અર્જુન –શ્રીકૃષ્ણના સાકાર દેવ-સ્વરૂપમાં – શ્રીકૃષ્ણના તે 'વિશ્વરૂપ' ના દર્શન કરી શકતો નથી.