Mar 23, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-19-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-19


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Bhagvat Mahatmya-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-ભાગવત માહાત્મ્ય-અધ્યાય-1


INDEX PAGE     PREVIOUS PAGE   NEXT PAGE

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૨

ત્યારે અર્જુન કહે છે-કે-હે શ્રીકૃષ્ણ,એમાં દોષ કોનો છે ? તમે દર્પણને લુછીને સ્વચ્છ કરીને –પછી તે -આંધળા મનુષ્યને બતાવવાની ખટપટ કરો છો. 
અથવા તો જાણે બહેરાની સામે ગાયન લલકારવા બેઠા છો.
જે વિશ્વરૂપ-ઇન્દ્રિયો ને દેખાય તેવું નથી–જેને માત્ર જ્ઞાનદૃષ્ટિ જ જોઈ શકે છે-
એવું શાસ્ત્રોએ વર્ણન કર્યું છે,અને એવું આપે પણ કહ્યું હતું,
તે વિશ્વરૂપ ને તમે મારી આંખો (ચર્મચક્ષુ) સામે રજુ કરો-તો હું તેને કઈ રીતે જોઈ શકું ?