Mar 25, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-21-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-21


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૪

અર્જુન કહે છે-કે-હે દેવ,પૂર્વે કદી પણ ના જોયેલા એવા આ આપના વિશ્વરૂપને જોઈને મને હર્ષ થયો છે,અને સાથે સાથે તે સ્વરૂપની વિકરાળતા જોઈ ને મારું મન ભયથી અતિ વ્યાકુળ પણ થયું છે.એટલા માટે હે દેવ, આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પ્રથમનું ચતુર્ભુજ સ્વરૂપ પાછું દેખાડો.આપને મુકુટ-ધારક અને હાથમાં ગદા,ચક્ર –ધારણ કરેલા જોવા,એવી હવે મારી ઈચ્છા છે.(૪૫-૪૬)