Mar 30, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૭

--જેને કોઈ પણ જાતની અપેક્ષા નથી (નિસ્પૃહ) --જે અંદર અને બહારથી પવિત્ર છે,
--જે આત્મ-પરમાત્મ-તત્વ જાણવામાં નિષ્ણાત (દક્ષ) છે.
--જે જીવનમાં આવી પડતી સ્થિતિઓ પ્રત્યે “ઉદાસીન” છે.
--જે ભયથી મુક્ત છે,જીવનમાં આવતાં ગમે તે પરિણામ કે બનાવથી દુઃખી થતો નથી,--જેને બધા કાર્યના આરંભનો ત્યાગ કર્યો છે-એટલે કે-આ જગતમાં ઈચ્છિત હેતુઓ પાર પાડવાના માટેનાં કર્મોનો પ્રારંભ કરતો નથી (ફળની ઇચ્છાથી કર્મ કરતો નથી) અને-જે આમ સતત પરમાત્માની ભક્તિમાં ડૂબેલો રહે છે-તે ભક્ત પરમાત્માને પ્રિય છે. (૧૬)

Mar 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Bhagvat Mahatmya-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-ભાગવત માહાત્મ્ય-અધ્યાય-4


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૬

આખા દિવસમાંથી –એક ક્ષણ-પણ મન-બુદ્ધિને પરમાત્માનામાં લગાડવાથી,
જેટલો પણ સમય મનને પરમાત્માના સમાગમ-સુખનો અનુભવ થાય તેટલો સમય-
તે મનને વિષયો પ્રત્યે અરુચિ અવશ્ય ઉભી થાય છે.
અને આવું –મન- ધીરે ધીરે પરમાત્મામાં લાગતાં તે પરમાત્મામાં મળી જાય છે.