Apr 1, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૯

ક્ષેત્ર (શરીર) જે તત્વોનું બનેલું છે-તે એક એક તત્વનાં લક્ષણો અને
તે તત્વ ના વિકારો,વિષે-જ્ઞાનેશ્વરે વિગતથી વર્ણન કર્યું છે,
આગળ બતાવ્યું તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તે  “જ્ઞાન” છે.
અને હવે -આ જ્ઞાન જેને થયું હોય (જેના હૃદયમાં જ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય) –
તેવા મનુષ્યનાં લક્ષણો વિષેનું વર્ણન છે.

Mar 31, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૮-અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ

અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ
આગળના અધ્યાય-૧૨-ભક્તિયોગમાં તેરમા શ્લોકથી અંત સુધી,પરમાત્માના પ્રિય ભક્ત નું વર્ણન કર્યું છે.હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે-કે-“તે ભક્તને “સત્ય”નું કેવા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ ?” એટલે જ અર્જુન કહે છે-કે- હે કૃષ્ણ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ-પ્રકૃતિ અને પુરુષ-જ્ઞાન અને જ્ઞેય આ વિષે હું જાણવા ઈચ્છું છું.(૧)

Mar 30, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૭

--જેને કોઈ પણ જાતની અપેક્ષા નથી (નિસ્પૃહ) --જે અંદર અને બહારથી પવિત્ર છે,
--જે આત્મ-પરમાત્મ-તત્વ જાણવામાં નિષ્ણાત (દક્ષ) છે.
--જે જીવનમાં આવી પડતી સ્થિતિઓ પ્રત્યે “ઉદાસીન” છે.
--જે ભયથી મુક્ત છે,જીવનમાં આવતાં ગમે તે પરિણામ કે બનાવથી દુઃખી થતો નથી,--જેને બધા કાર્યના આરંભનો ત્યાગ કર્યો છે-એટલે કે-આ જગતમાં ઈચ્છિત હેતુઓ પાર પાડવાના માટેનાં કર્મોનો પ્રારંભ કરતો નથી (ફળની ઇચ્છાથી કર્મ કરતો નથી) અને-જે આમ સતત પરમાત્માની ભક્તિમાં ડૂબેલો રહે છે-તે ભક્ત પરમાત્માને પ્રિય છે. (૧૬)