આગળના અધ્યાય-૧૨-ભક્તિયોગમાં તેરમા શ્લોકથી અંત
સુધી,પરમાત્માના પ્રિય ભક્ત નું વર્ણન કર્યું છે.હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે-કે-“તે ભક્તને
“સત્ય”નું કેવા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ ?” એટલે જ અર્જુન કહે છે-કે- હે કૃષ્ણ,ક્ષેત્ર
અને ક્ષેત્રજ્ઞ-પ્રકૃતિ અને પુરુષ-જ્ઞાન અને જ્ઞેય આ વિષે હું જાણવા ઈચ્છું છું.(૧)