Apr 2, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૦

જ્ઞેય એટલે પરમાત્મ-વસ્તુ (જે જાણવા યોગ્ય છે તે).તેને જ્ઞેય કહેવાનું કારણ એટલું જ છે-કે-તે જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) સિવાય બીજા કોઈ પણ ઉપાયથી પ્રાપ્ત થઇ શકે તેમ નથી.અને તે (જ્ઞેય) જાણવામાં આવી ગયા પછી મુમુક્ષુ (મોક્ષ ઇચ્છનાર મનુષ્ય)ને –કોઈ પણ પ્રકારનું કર્તવ્ય (કર્મ)કરવાનું બાકી રહેતું નથી,કારણકે તેનું જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) જ તેને તદ્રુપતા(એકતા)માં લઇ જાય છે.અને તે પરમાનંદમાં નિમગ્ન (એક) થાય છે.