જેવી રીતે પોલાણમાં આકાશ ભરેલું છે,અથવા
તો-દોરાઓ,વસ્ત્રમાં વસ્ત્ર-રૂપે થઇને રહે છે-તેવી રીતે –બ્રહ્મ –આ વિશ્વમાં રહેલ છે.તેજ (પ્રકાશ) –જે પ્રમાણે –દીવામાં દીવા રૂપે રહે
છે, સુગંધ –જે પ્રમાણે ફુલમાં ફુલ રૂપે રહે છે,તે પ્રમાણે જ્ઞેય બ્રહ્મ –આ સર્વ જગતનું આદિ કારણ
હોઈ –સર્વમાં મૂર્તિમાન (આંખોથી) દેખાય છે.
Apr 3, 2021
Apr 2, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૦
જ્ઞેય એટલે પરમાત્મ-વસ્તુ (જે જાણવા યોગ્ય છે તે).તેને જ્ઞેય કહેવાનું કારણ એટલું જ છે-કે-તે જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) સિવાય બીજા કોઈ પણ ઉપાયથી પ્રાપ્ત થઇ શકે તેમ નથી.અને તે (જ્ઞેય) જાણવામાં આવી ગયા પછી મુમુક્ષુ
(મોક્ષ ઇચ્છનાર મનુષ્ય)ને –કોઈ પણ પ્રકારનું કર્તવ્ય (કર્મ)કરવાનું બાકી રહેતું નથી,કારણકે તેનું જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) જ તેને તદ્રુપતા(એકતા)માં લઇ જાય છે.અને તે પરમાનંદમાં નિમગ્ન (એક) થાય છે.
Subscribe to:
Posts (Atom)