Apr 14, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૦-અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ

અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ
આગળના અધ્યાય -૧૪ ના અંતિમ ભાગમાં આવ્યા મુજબ એવો નિર્ણય થયો કે-
જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-
તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે) પણ જે-યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો કરે- –તેને “બ્રહ્મદેવનો લોક”એટલે કે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે.
જ્યાં સુખો ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.

Apr 13, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-11-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-11


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૯

“જ્ઞાન”ના યોગથી જે “ગુણાતીત” (ગુણોથી પર) બન્યો છે,તે-“નિર્ગુણ-નિરાકાર” બ્રહ્મને 
–કોઈ પણ જાતના પ્રમાદ કે મુશ્કેલી  વગર –આસાનીથી જાણી શકે છે.
જે પ્રમાણે નદી,સમુદ્રમાં મળી ગયા પછી,સમુદ્રપણાને પ્રાપ્ત થાય છે.(નદી સમુદ્ર બની જાય છે)-
તે પ્રમાણે-જે ગુણાતીત થયેલો છે-તે ગુણોના(સત્વ,રજસ,તમસ) પાશમાં ના સપડાતાં-
“અહં બ્રહ્માસ્મિ” (હું બ્રહ્મ છું) –એમ જાણે છે. (આત્મા અને પરમાત્માનું ઐક્ય થઇ જાય છે)