Apr 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૭-અધ્યાય-૧૬

અધ્યાય-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ-૧
આ અધ્યાયમાં પ્રાણીઓની (જીવોની) દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન કરવા માં આવ્યું છે.સહુ પ્રથમ દૈવી સંપત્તિ વિષેનું વર્ણન છે.દૈવી સંપત્તિ કે જે,
મુમુક્ષુને (મોક્ષ પામવા ઈચ્છનારને) સાથીરૂપ થાય છે.એકબીજાને સહાય કરે 
એવા પુષ્કળ પદાર્થોના સંચિત  (ભેગા) થયેલા સમુદાય ને સંપત્તિ કહે છે.એક સ્થળે એકત્રિત થયેલી અને સર્વને સુખ આપનારી –સંપત્તિને દૈવી-સંપત્તિ કહે છે.

Apr 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૬

ક્ષર એટલે કે જે પ્રતિક્ષણે નાશ પામે છે તે-
અગાઉ ના અધ્યાયમાં ક્ષેત્ર (શરીર)-અને પ્રકૃતિ (માયા) નું જે-વર્ણન કર્યું- અને
આ અધ્યાયમાં –વૃક્ષની આકૃતિથી જેનું વર્ણન કર્યું –તે- જેને જગત પણ કહે છે.
તે સર્વે નાશવંત (ક્ષર) છે.