Jun 28, 2021

Gujarati-Ramayan-Rahasya-01-ગુજરાતી-રામાયણ-રહસ્ય-01 (રામાયણ માહાત્મ્ય)

ડોંગરેજી મહારાજની કથા પર આધારિત ભાવાર્થ રામાયણ 
રામાયણ એ મર્યાદા-સંહિતા છે.જેટલો રામજીની કથાનો,રામજીના દર્શનનો મહિમા છે,
તેના કરતાં પણ વધારે રામજીના “નામ"નો (રામ-નામનો) મહિમા છે.
જેટલા અયોધ્યાવાસીઓએ રામજીનાં દર્શન કર્યા તેમને રામે તાર્યા છે,રામ-ચરિત્રના અંતે રામજી તે સર્વેને સદેહે વૈકુંઠમાં લઇ ગયા છે,તે અયોધ્યા-વાસીઓથી પણ લાખો ઘણા વધારે ને “રામ-નામે" તાર્યા છે.એટલે સ્વયં રામજીના કરતાં પણ રામ-નામનો મહિમા વધારે છે.