Jun 30, 2021

Gujarati-Ramayan-Rahasya-03-ગુજરાતી-રામાયણ-રહસ્ય-03

'આ શરીર પણ એક બ્રહ્માંડ-રૂપ છે,અલબત્ત,વિરાટ બ્રહ્માંડનું એક નાનું સ્વરૂપ છે.
એ પ્રત્યેક બ્રહ્માંડ (પ્રત્યેક શરીર) માં શ્રીરામનો અવતાર થાય છે.'
આવું જો સમજવામાં આવે તો જીવન –ઉમદા અને આશાભર્યું બની જાય.
જેવી,જીવનમાં ઈશ્વર દર્શનની વ્યાકુળતા પેદા થાય કે તરત જ, અંતઃકરણમાં રહેલા શ્રીરામના અવતારની ક્ષણનો અનુભવ થાય.(અંતરમાંના રામનાં દર્શન થાય)