Jul 13, 2021

Gujarati-Ramayan-Rahasya-13-ગુજરાતી-રામાયણ-રહસ્ય-13

એક માલિક (સ્વામી) તરીકે-રામજીએ હનુમાનજી તરફ શ્રદ્ધા અને ઋણ બતાવ્યું છે તે અદભૂત છે.સીતાજીના સમાચાર લઇને હનુમાનજી રામ પાસે આવે છે ત્યારે,
માલિકનું મન હનુમાનજીની સન્મુખ થઇ શકતું નથી,શ્રી રામ કહે છે કે-“હે હનુમાન,હું તારો ઋણી છું અને ઋણી જ રહેવા માગું છું,તારું ઋણ વળવાનો હું વિચાર પણ કરી શકતો નથી,તારું ઋણ વળ્યું વળાય તેમ નથી,તારા ઋણના લીધે મારું મન તારી સન્મુખ પણ થઇ શકતું નથી.”

Jul 12, 2021

Gujarati-Ramayan-Rahasya-12-ગુજરાતી-રામાયણ-રહસ્ય-12

સીતાજીના હરણ પછી,શ્રીરામ શબરીના આશ્રમમાંથી નીકળી,પંપા સરોવરના કિનારે લક્ષ્મણજી જોડે વાર્તાલાપ કરતા બેઠા હતા,ત્યારે શંકરજી આકાશમાંથી તેમને નિહાળી રહ્યા હતા,શંકરજીને રામજી પ્રસન્ન ચિત્ત દેખાય છે.પણ તે જ સમયે નારદજી ત્યાં આવે છે તેમને શ્રીરામ વિરહવંત દેખાય છે.ઈશ્વરના સ્વરૂપની આ બલિહારી છે.