Jul 24, 2021

Gujarati-Ramayan-Rahasya-23-ગુજરાતી-રામાયણ-રહસ્ય-23

સેવાનું ફળ એ સેવા છે મેવા નહિ.માટે ભક્તે મુક્તિની પણ આશા કરવી જોઈએ નહિ.નરસિંહ મહેતા એ ગાયું છે કે-હરિના જન તો મુક્તિ ના માગે,માગે જન્મોજન્મ અવતાર રે....એનું નામ નિષ્કામ ભક્તિ. ભક્તને ગોલોક ધામ કે વૈકુંઠધામ જોઈતું નથી,એને તો પ્રભુની સેવા જોઈએ છે.ભોગ માટે કે સુખ માટે તેની ભક્તિ નથી.પણ ભગવાન માટે ભક્તની ભક્તિ છે.ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી પણ ભોગ વહાલા છે.તેને સંસાર વહાલો છે.

Jul 23, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-23-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-23


Gujarati-Ramayan-Rahasya-22-ગુજરાતી-રામાયણ-રહસ્ય-22

સપ્તર્ષિઓએ જે પ્રશ્ન રત્નાકરને પૂછેલો તે તેને એકલાને જ લાગુ પડતો નથી,પણ આજની દુનિયામાં રહેલા મનુષ્ય માત્રને લાગુ પડે છે,પૈસા કમાવાની લાલચમાં મનુષ્ય પાછું વળીને જોતો નથી,અને ગમે તે રીતે ઘણીવાર અનીતિથી પણ ધન કમાવા લાગી જાય છે.પણ રત્નાકરની આંખ ઉઘડી ગઈ તેમ મનુષ્યની આંખ ખુલે તો તેનો પણ બેડો પાર થઇ જાય.
કબીર કહે છે કે-કબીરા સબ જગ નિર્ધના,ધન્વંતા નહિ કોઈ,ધન્વંતા સો જાનીયે જા કે રામનામ ધન હોય.