સુદામા અને ભગવાન શ્રીકૃષ્ણની બાળપણની મૈત્રી હતી.સુદામાની હાલત ગરીબ હતી.ખાવાના સાંસા હતાં,ઘરમાં બાળકો ભૂખે મરતાં હતાં.સુદામાની પત્નીએ તેમને શ્રીકૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા,પણ સુદામા માગવા જવાની ના પાડે છે,પત્ની કહે છે કે- મળવા તો જાઓ.એટલે સુદામા શ્રીકૃષ્ણને મળવા જાય છે.દ્વારિકાનાથનો વૈભવ જોયો પણ તેમણે જીભ કચડી નથી.