Jul 28, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-27-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-27


Gujarati-Ramayan-Rahasya-27-ગુજરાતી-રામાયણ-રહસ્ય-27

જપ વિના જીવન સુધરતું નથી,જીભ સુધરતી નથી,મન સુધરતું નથી.જપ વિના વાસનાઓ ટળતી નથી,જપ વિના સંયમની સાધના થતી નથી,જપ વિના પાપ છૂટતું નથી,જપ વિના બળની પ્રાપ્તિ થતી નથી,સુખશાંતિની પ્રાપ્તિ થતી નથી,”આપ”(ખુદ)ની પ્રાપ્તિ થતી નથી.
આજે આપણે ‘આપ’ ને (ખુદને) ખોઈ બેઠા છીએ.ને વાસના અને કામનાના કેદી બની તે જેમ નચાવે તેમ નાચ્યા કરીએ છીએ.સતત જપ કરવાથી જ ‘આપ’ (ખુદ) ની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય,મનુષ્ય બને છે.નહિતર જે મનનો દાસ છે તે મનુષ્ય દાનવ જેવો છે.મનનો ધણી થાય ત્યારે મનુષ્ય મનુષ્ય બને છે.